Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

તાજમહાલ અને આગરા ફોર્ટ ૨૧ સપ્ટેમ્બરના પર્યટકો માટે ખુલશેઃ ઓનલાઇન બુક થશે ટિકીટ

કોવિડ-૧૯ મહામારીને લઇ ૧૭ માર્ચથી બંધ ઉતર પ્રદેશમાં આવેલ તાજમહાલ અને આગરા ફોર્ટ ૨૧ સપ્ટેમ્બરથી પર્યટકો માટે ખોલી નાખવામા આવશે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિક્ષણ પુરાતત્વવિદ બસંતકુમારએ બતાવ્યુ કે એક દિવસમાં તાજમહલમાં ૫૦૦૦ જયારે આગરા ફોર્ટમા ૨૫૦૦ પર્યટક જ પ્રવેશ કરી શકશે અને એમણે ઓનલાઇન ટિકીટ બુક કરવાની રહેશે માસ્ક અને સોશલ ડિસ્ટેંસિગનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે.

(12:11 am IST)