Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

બ્રિટન સીધુ દોર : કોવિશીલ્ડ લીધેલા ભારતીયોને ૧૧ ઓકટોબરથી રહેવું નહીં પડે કવોરોન્ટાઇન

બ્રિટન,તા. ૮: કોરોના વેકસીનની માન્યતાને લઇને ભારતની જવાબી કાર્યવાહી આગળ આખરે બ્રિટનને ઝુકવું પડ્યું છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેકસ એલિસે આજે કહ્યું કે ભારતમાં કોવિશીલ્ડના બંને ડોઝ લઇ ચૂકેલા તમામ ભારતીય યાત્રીઓને ૧૧ ઓકટોબરથી તેમના દેશમાં કવોરોન્ટાઇન રહેવું નહી પડે. બ્રિટને ડબ્લ્યૂએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતની કોવિશીલ્ડને અત્યાર સુધી માન્યતા આપી નથી. તેના લીધે ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય ભારતીયોને બ્રિટન પહોંચતાં કોરન્ટાઇન રહેવું પડતું હતું. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં ભારત પહોંચનાર બ્રિટિશ નાગરિકો માટે કવોરોન્ટાઇન જરૂરી કરી દીધું હતું.

(10:03 am IST)