Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

લખીમપુર ખેરી હિંસાને જલિયાવાલા બાગ સાથે મેં સરખાવ્યાના પગલે અજિત પવારના સગાઓને ત્યાં દરોડા પડ્યા છે: લોકશાહીમાં શું વિચારો પણ વ્યક્ત ન કરી શકાય ? શરદ પવાર આગબબુલા

એનસીપીના સુપ્રીમો શ્રી શરદ પવારનો પ્રચંડ આક્રોશ. શ્રી પવારે કહ્યું હતું કે લખીમપુર ખેરી  હિંસાને જલિયાવાલા બાગ સાથે મેં સરખાવ્યાના પગલે તરત જ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સગા સંબંધીઓ અને સહયોગીઓને ત્યાં આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. શ્રી પવારે પૂછ્યું હતું કે લોકશાહીમાં શું અમને અમારા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર નથી ?

 

(7:22 pm IST)