Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું : કોરોના ટેસ્ટમાં Ct વેલ્યુ 35 કરતા ઓછું હશે તો જ કોરોના પોઝિટિવ ગણાશે: ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી

નવી દિલ્હી :ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં રોજના 3 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જોકે, આ નવી ગાઇડલાઇન સરકારના કોરોના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું હોય તેમ લાગી રહયું છે.ICMRએ જાહેર કરેલ નવી ગાઇડલાઇન મુજબ RT-PCR ટેસ્ટમાં Ct વેલ્યુ 35 અથવા તેના કરતા વધુ હશે તો કોરોના નેગેટિવ ગણાશે. જો કોરોના ટેસ્ટમાં Ct વેલ્યુ 35 કરતા ઓછું હશે તો જ કોરોના પોઝિટિવ ગણાશે. આ પહેલા, આ Ct વેલ્યુ વૈશ્વિક સ્તરે 35થી 40 હતું. ICMR એ જણાવ્યું છે કે દેશની જુદી જુદી વાયરોલોજી લેબોરેટરીમાંથી મળતા ફીડબેક અને ઈન્પુટના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે

(12:00 am IST)