Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો પ્રહાર : કહ્યું - રસીનો અભાવ એક ગંભીર સમસ્યા 'ઉત્સવ' નહીં

આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને વેક્સિનનું નિકાસ શું યોગ્ય છે?

કોરોના રસીના અભાવના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પર નિશાન સાધ્યું છે. વડા પ્રધાન મોદીને સવાલો પૂછતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને વેક્સિનનું નિકાસ શું યોગ્ય છે? આ દરમિયાન તેમણે વડા પ્રધાનને આડે હાથ પણ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વધતી કોરોના સંકટમાં રસીની અભાવ એ ગંભીર સમસ્યા છે ત્યારે ઉત્સવ ગણવો અયોગ્ય છે

(1:32 pm IST)