Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પાકિસ્‍તાનના સંસદસભ્‍ય અને પ્રખ્‍યાત ટીવી સ્‍ટાર આમિર લિયાકત હુસૈનનું નિધન : ત્રીજા લગ્ન પછી ભારે વિવાદ થયેલ : દેશ છોડવાની જાહેરાત કરેલ

પાકિસ્‍તાનના પ્રખ્‍યાત ટીવી સ્‍ટાર અને કરાચીથી પીટીઆઈના સાંસદ ડો. આમિર લિયાકત હુસૈનનું કરાચીમાં નિધન થયું છે.  પાકિસ્‍તાની મીડિયા અનુસાર, તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા, પરંતુ ડૉક્‍ટરોના જણાવ્‍યા અનુસાર, તેમને હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા ત્‍યારે તેમનું મળત્‍યુ થઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે તેમના મળત્‍યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  તેનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવશે.
તાજેતરમાં, આમિર લિયાકત તેના ત્રીજા લગ્નને લઈને વિવાદોમાં ફસાયા હતા, ત્‍યારબાદ તેણે દેશ છોડવાની જાહેરાત કરી હતી.  ધાર્મિક ટીવી કાર્યક્રમ આલમ ઓનલાઈનથી ખ્‍યાતિ મેળવનાર ડૉ. આમિર લિયાકત હુસૈન ૨૦૧૮માં પીટીઆઈની ટિકિટ પર ચૂંટણી જીતીને સાંસદ બન્‍યા હતા

 

(4:28 pm IST)