Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઝારખંડઃ ગરીબ પરિવારને દર મહિને ૫ રૂપિયામાં ૫ કિલો અનાજ

૧૫ લાખ ગરીબ પરિવારને ફાયદો થશે

રાંચી,તા.૯ : ઝારખંડની સરકારે કોરોના વાયરસની મહામારીથી અસરગ્રસ્ત ૧૫ લાખ ગરીબ પરિવારોને દર મહિને ૫ રૂપિયામાં ૫ કિલોગ્રામ અનાજ આપવાનો નિર્ણય લીધો છે. આ યોજનાથી ૧૫ લાખ પરિવારને ફાયદો થશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મંગળવારના દિવસે રાંચીમાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી.

આ બેઠક સમાપ્ત થયા પછી કેબિનેટ સચિવ અજય કુમાર સિંહે જણાવ્યું કે ૧૫ લાખ પરિવારને પ્રતિ લાભદાયી દર મહિને ૫ રૂપિયામાં ૫ કિલોગ્રામ અનાજ આપવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પંચાયત તેમજ વોર્ડમાં ગ્રામસભાની બેઠકમાં આ અરજીને મંજૂર કરવામાં આવશે.

અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીના કારણે ઝારખંડના દ્યણાં ગરીબ પરિવારો સામે આર્થિક સંકટ ઊભું થઈ ગયું છે. તેવામાં આ પરિવારોને રાહત આપવા માટે ઝારખંડ સરકારે દર મહિને ૫ રૂપિયામાં ૫ કિલોગ્રામ અનાજ આપવાનો નિર્ણય લીધો છે. આ યોજનાથી ૧૫ લાખ પરિવારને ફાયદો થશે. આ યોજનાથી ઝારખંડ રાજય સરકારને વધુ ૨૧૩ કરોડનો ખર્ચો થશે.

(9:50 am IST)