Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વિદ્યાર્થીઓની સલામતી માટે અનેકવિધ જોગવાઇઃ અમલ થશે ?

૨૧મીથી ૯ થી ૧૨ ધોરણ માટે સ્વૈચ્છિક ધોરણે હાજરી આપવાના પ્રબંધ સાથે શાળા ફરી ખુલશેઃ માતા-પિતાનું સંમતિ પત્રક જરૂરી : કોર્સ અંગેની મુંઝવણો માટે માર્ગદર્શન મેળવી શકાશે, શિક્ષકો સાથે શૈક્ષણિક પ્રશ્ને ચર્ચા થઇ શકશેઃ રેગ્યુલર સ્કુલ ચાલુ કરવા અંગે સ્પષ્ટતા નથી

નવી દિલ્હીઃ  આગામી ૨૧ સપ્ટેમ્બરથી ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી ખુલશે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા જાહેર થઇ છે.

શાળાઓ ફરીથી ખોલવાનું કામ સ્વૈચ્છિક ધોરણે કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન શાળાઓની મુલાકાત લેવા માટે તેમના માતાપિતા દ્વારા સહી કરેલી મંજૂરીપત્ર રજૂ કરવાનો રહેશે.

  સ્કૂલ ફરીથી ખોલવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

 આ મહિનાની શરૂઆતમાં જ બહાર પાડવામાં આવેલા અનલોક ૪દ્ગક માર્ગદર્શિકાને અનુસરીને, વર્ગ ૯ થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્વૈચ્છીક હાજર રહેવા અથવા મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ બાબતે થતી મૂંઝવણ, શંકાઓને દૂર કરવા અને તેમના શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતો પર ચર્ચા કરવા સ્વૈચ્છિક ધોરણે શાળાઓમાં હાજરી આપી શકશે.

 આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકા મુજબ, સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ફરીથી ખોલવા માટેના સામાન્ય સાવચેતીના પગલા નીચે મુજબ છે.

 . શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ૬ ફૂટનું શારીરિક અંતર જાળવવું

  . શાળાના પરિસરમાં હોય ત્યારે ફેસ માસ્ક અને ફેસ કવર ફરજિયાત છે

 . હેન્ડ હાઈજીન- હાથની સ્વચ્છતા માટે સાબુથી વારંવાર હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની વ્યવસ્થા અચૂક રાખવી પડશે.

  . ખાંસી / છીંક આવે ત્યારેમોઢું અને નાક કવર કરવા બાબતનું કડક પાલન કરવાનું રહેશે

 . સ્વાસ્થ્યનું જાતે નિરીક્ષણ રાખવાનું અને માંદગી હોય તો વહેલામાં વ્હેલી તકે અહેવાલ આપવાનો રહેશે

 .આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું અને ઉપયોગ કરવાની સલાહ વિદ્યાર્થીઓને આપવી

 . માત્ર કંટેનમેન્ટ ઝોનની બહાર આવતી શાળાઓને જ ફરીથી ખોલવાની મંજૂરી છે

 .કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકોને શાળામાં આવવાની મંજૂરી નથી

 . વિદ્યાર્થીઓને, શિક્ષકોને સલાહ આપવામાં આવે છે કે કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા કોઈપણ વિસ્તારમાં જવું નહિ

 . સમગ્ર શાળા કેમ્પસ, જેમાં તમામ પ્રકારની પ્રયોગશાળાઓ, સહિતના વિવિધ ઉપયોગમાં લેવાતા વિભાગોને ૧% સોડિયમ હાયપોકલોરાઇટ સોલ્યુશનથી સેનેટાઇઝ કરવામાં આવશે..

 . એસેમ્બલી, રમતગમત અને ઇવેન્ટ્સ કે જે વધારે ભીડ સર્જી શકે છે તેના પર સખત પ્રતિબંધ છે.

 . સ્કૂલ પ્રિમાઇસીસમાં જો સ્વિમિંગ પૂલ હોય તો બંધ રાખવા..

 . સ્કુલોએ જરૂરિયાત મુજબ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે, ફેઈસકવર, માસ્ક, વાઇઝર્સ, હેન્ડ સેનેટાઈઝર્સનો સ્ટોક ઉપલબ્ધ રાખવો.

 . સ્કૂલોએ થર્મલ ગન, આલ્કોહોલ વાઈપ્સ અથવા ૧% સોડિયમ હાઇપોકલોરાઈટ અને ડિસ્પોઝેબલ પેપર ટોવેલ, સાબુ વિગેરે કોવિડને લાગતા મટિરિયલ્સનો ઉપયોગ કરવો અને તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવો..

 . કોઈપણ સિમ્પટોમેટિક વ્યકિતને ચકાસવા માટે ઓકિસજન લેવલ માપવા પલ્સ-ઓકસીમીટર પૂરતા પ્રમાણમાં રાખવા

 . કવર કરાયેલ ડસ્ટબીન અને કચરાપેટીની ઉપલબ્ધતા અચૂક રાખવી.

 . કવોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી શાળાઓને ડીપ સેનેટાઈઝ અને સંપૂર્ણપણે સ્વચ્છ કરવામાં આવશે.

.૫૦ % ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને શાળામાં આવવાની મંજૂરી રહેશે..

 . વર્ગ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક ધોરણે શાળાઓની મુલાકાત લેવાની મંજૂરી રહેશે

 . શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે 'કોન્ટેકટલેસ' હાજરી પુરવાની પદ્ઘતિ તૈયાર કરવી અને તેનો અમલ કરવો

 . સ્કૂલની પ્રિમાઇસીસની બહાર થનાર ભીડને નિયંત્રિત કરવા માટે માર્કિંગ્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવે.

આમ ૨૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧૨ માટે સ્કુલો શરૂ કરતા પૂર્વે સ્કુલોએ પણ અનેક તૈયારીઓ રાખવી પડશે.

જો કે શાળાઓ આ બધા નિયમોનું પાલન કરે છે કેમ ? તે ચકાસવા કોઇ વ્યવસ્થા કે તંત્ર ઉભું કરવામાં આવેલ હોવાની વિગતો જાણવા મળતી નથી.

(11:37 am IST)