Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

'માતોશ્રી'ને કોઇ નુકશાન ન પહોંચાડી શકે, દાઉદ પણ નહીં : એકનાથ શીંદે

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ખાનગી આવાસ 'માતોશ્રી' માં આવેલ ભેદી કોલને લઇને રાજયના કેબીનેટ મંત્રી એકનાથ શીંદેએ જણાવ્યુ કે શીવસેના કોઇની ધમકીઓથી ડરતી નથી. 'માતોશ્રી' ને કોઇ નુકશાન પહોંચાડી ન શકે. દાઉદ પણ નહી. જો કે દાઉદ ગેંગ સાથે સંકળાયેલા કોઇ શખ્સે ફોન પર ધમકી આપ્યાની વાતને લઇને શીંદેએ આવો સણસણતો જવાબ વાળ્યો હતો.

(4:12 pm IST)