Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અહેવાલો મળી રહ્યા છે કે મુંબઈ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયાના પુશ બેક મિની ટ્રેક્ટરમાં આગ લાગી હતી. આ ટ્રેક્ટર, જામનગર જઈ રહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ (VT-EXM) AI-647 ને રનવે પર પાછળ ધકેલવાનું હતું. પ્લેનમાં 85 વ્યક્તિઓ સવાર હતા. ટ્રેકટર માં લાગેલી આગ પર તરત કાબુ મેળવી લેવાયો હતો. વિમાનને કોઈ નુકસાન થયું નથી. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

મુંબઇ એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના અટકીઃ જામનગર જતા વિમાન નજીક સળગીને ખાક થઇ ગયુ ટ્રેકટર
મુંબઇઃ આજે મુંબઇ એરપોર્ટ ઉપર એક મોટી દુર્ઘટના થતી અટકી ગઇઃ પુશબેક મીની ટ્રેકટર સળગીને ખાક થઇ ગયુઃ આ ટ્રેકટર એર ઇન્‍ડિયાના જામનગર જતા વિમાનની નજીક હતુઃ જો કે બાદમાં આગ તત્‍કાલ બુઝાવી દેવાઇ હતીઃ વિમાનમાં એ વખતે ૮૫ મુસાફરો બેઠા હતાઃ વિમાનને કોઇ નુકશાન થયુ નથી

 

(4:07 pm IST)