Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કૃષિ ધારા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સંત સમાજે સમર્થન ઘોષિત કર્યું : જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી ,કાશી સુમેરુ પીઠ કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણ ,સહિતના સંતો મહંતોએ કિસાન નેતા રાકેશ ટિકૈતની મુલાકાત લઇ આશીર્વાદ આપ્યા

ન્યુદિલ્હી : છેલ્લા અઢી માસ ઉપરાંત સમયથી કેન્દ્રના કૃષિ ધારા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સંત સમાજે સમર્થન ઘોષિત કર્યું છે.

આજરોજ  જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી ,કાશી સુમેરુ પીઠ કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણ ,સ્વામી આર્યવેશજી મહારાજ ,નવીનાનંદજી મહારાજ ,મહામંડલેશ્વર ભુપેન્દ્રગીરીજી મહારાજ ,સ્વામી વિષ્ણુ વિનોદમજી મહારાજ ,સ્વામી વ્રજભૂષણજી મહારાજ ,યોગી રાકેશનાથજી મહારાજ ,સ્વામી કૈલાસાનંદજી મહારાજ ,સ્વામી ભજનારામજી મહારાજ ,આચાર્ય કેશવ દેવજી મહારાજ ,સહિતના સંતો મહંતોએ આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતને આશીર્વાદ આપી સમર્થન ઘોષિત કર્યું હતું તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)