Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

એકનાથના નેતૃત્‍વવાળી શિવસેના અને ભાજપ વચ્‍ચે મતભેદો

મહારાષ્ટ્રમાં રાજકીય ગરબડ, મુખ્‍યમંત્રીના સાંસદ પુત્રની રાજીનામાની ધમકી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ગમે ત્‍યારે નવા જૂની થઈ જાય છે અને અપેક્ષા ન હોય તેવી દ્યટનાઓ આકાર લઈ જતી હોય છે ત્‍યારે હવે રાજયના મુખ્‍યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને બીજેપી વચ્‍ચે ખટરાગ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તો પોતાના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી છે.

શ્રીકાંત શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ડોમ્‍બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્‍વાર્થી રાજકારણ માટે બીજેપી-શિંદે જૂથ માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે કહ્યું કે મને કોઈ પદની ઈચ્‍છા નથી. ભાજપ-શિવસેનાનું વરિષ્ઠ નેતૃત્‍વ જે પણ ઉમેદવાર નક્કી કરશે તેને હું સમર્થન આપીશ.

 તેમણે વધુમાં કહ્યું કે અમારો ઉદ્દેશ્‍ય બીજેપી-શિવસેના ફરીથી ગઠબંધન કરવાનો છે અને કેન્‍દ્રમાં ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો છે. આ દિશામાં અમે જે કામ કરી રહ્યા છીએ અને જો કોઈ તેમનો વિરોધ કરે, કોઈ નારાજ હોય અને ગઠબંધનમાં ગરબડ હોય તો હું મારા પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું.

(4:18 pm IST)