Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો પણ કેરળમાં કહેર યથાવત : નવા 41.463 કેસ નોંધાયા : વધુ 41.463 દર્દીઓ રિકવર થયા : વધુ 898 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.08.072 થયો :એક્ટીવ કેસ 4.48.449 થયા : કુલ કેસની સંખ્યા 3.08.36.231 થઇ

સૌથી વધુ કેરળમાં 14.087 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8296 કેસ,આંધ્રપ્રદેશમાં 2925 કેસ, તામિલનાડુમાં 2913 કેસ,આસામમાં 2391 કેસ, ઓરિસ્સામાં 2334 કેસ,કર્ણાટકમાં 2162 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 42.648 કેસ નોંધાયા છે. જ્યારે 41.464 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 41.463 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 898 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.08.072 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 41.463 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.08.36.231 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.48.449 થઇ છે છેલ્લા 24 કલાકમાં 41.463 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,99.67.478 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 14.087 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8296 કેસ,આંધ્રપ્રદેશમાં 2925 કેસ, તામિલનાડુમાં 2913 કેસ,આસામમાં 2391 કેસ, ઓરિસ્સામાં 2334 કેસ,કર્ણાટકમાં 2162 કેસ નોંધાયા છે

(1:01 am IST)