Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સંજય રાઉત બોલ્યા - અમે કંગનાનો એપિસોડ ભૂલી ગયા છીએ, અમારી પાસે બીજા પણ કેટલાય કામો છે !

કંગનાની ઓફિસમાં કરેલી કાર્યવાહીથી શરદ પવાર કે સોનિયા ગાંધી કોઈ પણ નારાજ નથી.

મુંબઈ : શિવસેના હવે કંગના રાનૌત સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દાને નજરમાં લેવા નથી માગતી. જેની અસર જોવા મળી હતી. ત્યારે હવે સંજય રાઉતે કહ્યુ હતું કે, હવે કંગનાનો એપિસોડ ખતમ થઈ ગયો, અમારી પાસે બીજા પણ અનેક કામો પડ્યા છે. તો વળી તેમણે વધુમાં કહ્યુ હતું કે, કંગનાની ઓફિસમાં થયેલી કાર્યવાહીથી કોઈ નારાજ નથી.

 રાઉતે  મુંબઈમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે મીડિયાને જણાવ્યુ હતું કે, કંગનાના સવાલ પર તેમણે કહ્યુ હતું કે, અમે આ મુદ્દાને ભૂલી ગયા છીએ. અમારા માટે કંગનાનો એપિસોડ ખતમ થઈ ગયો છે. અમે હાલ દૈનિક અને સામાજિક કામોમાં જોતરાઈ ગયા છીએ.

સંજય રાઉતે મીડિયાને જણાવ્યુ હતું કે, કંગનાની ઓફિસ પર જે કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી શરદ પવાર કે સોનિયા ગાંધી કોઈ પણ નારાજ નથી.આ બાબતે જે પણ મીડિયાએ ખોટી માહિતી ફેલાવી છે, તેના પર હૈયાવરાળ કાઢી હતી. પવાર સાહેબ કે સોનિયાજીએ કોઈએ નારાજગી વ્યક્ત કરતુ ક્યાંય પણ ટ્વીટ કે નિવેદન આવ્યા નથી.

(8:55 pm IST)