Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

હવે કોરોનાને ‘ટાઢીયો તાવ': છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૬૩૧૧ કેસઃ ૧૬૧ના મોત

કુલ કેસની સંખ્‍યા ૧૦૪૬૬૫૯૫: એકટીવ કેસ ૨૨૨૫૨૬: કુલ મોત ૧૫૧૧૬૦

નવી દિલ્‍હી, તા. ૧૧ : દેશમાં કોરોનાના કેસની સંખ્‍યા ઝડપથી ઘટી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૩૧૧ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૧૬૧ લોકોના મોત થયા છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે દેશમાં કુલ કેસની સંખ્‍યા ૧૦૪૬૬૫૯૫ની થઈ છે. આ સાથે દેશમાં કુલ મોતનો આંકડો વધીને ૧૫૧૧૬૦નો થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૨૯૯ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્‍યા વધીને ૧૦૦૯૨૯૦૯ની થઈ છે.

દેશમાં એકટીવ કેસની સંખ્‍યા ઘટીને ૨૨૨૫૨૬ની થઈ છે.

(10:22 am IST)