Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૭૨

નાટક

‘‘એકવાર તમે પાત્રો ભજવવા માટે સંક્ષમ થઇ જાવ. તો તમે તેનાથી આઝાદ થઇ શકો''

પાત્ર ભજવવા માટે મુશ્‍કેલી શું છે ? મુશ્‍કેલીએ છે કે તમે બીજા પાત્રમાં કેદ થઇ ગયા છો અને તમે વીચારો છો કે તે તમારૂ વ્‍યકતીત્‍વ છે તમે એક પાત્ર ભજવી રહ્યા છો અને તમે તે એટલું આત્‍મસાત કરી લીધું છે જે બીજુ પાત્ર તમને અશકય લાગે છે. તમારે તમારી જાતને ભુતકાળમાંથી મુકત કરવી જ જોઇએ અને બીજા પાત્રમાં દાખલ થવું જોઇએ બીજા પાત્રમાં દાખલ થવું સારૂ છે અને વીચારો કે તે ફકત એક પાત્ર છે. એક રમત જે તમે રમી રહ્યા છો.

તમારા અસ્‍તીત્‍વને કોઇ વ્‍યકિતત્‍વ નથી. કોઇ પાત્રો નથી તે બધા જ પાત્રો ભજવી શકે છે પરંતુ તેને કોઇ ચરીત્ર નથી. તેથી ફકત કલાકાર બની જાવ. એક ફીલ્‍મમાં કલાકાર એક પાત્ર ભજવે છે અને બીજી ફીલ્‍મમાં બીજુ કદાચ સવારે તે એક પાત્રમાં હશે અને સાંજે બીજા પાત્રમાં. તે એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરી જાય છે-અને કોઇ જ સમસ્‍યા નથી કારણ કે તે જાણે છે કે આ અભીનય છે.

આખુ જીવન આવુ જ હોવુ જોઇએ વ્‍યકિત પાત્રમાં અંદર જવા અને બહાર નીકળવા માટે સક્ષમ હોવો જોઇએ તમે તમારી અંદર એક આઝાદી ઉત્‍પન્ન થતી જોશો. અને તમે તમારા ખરા અસ્‍તીત્‍વનો અનુભવ કરશો. નહીંતર તમે હમેશા એક પાત્રમાં બંધાયેલા રહેશો.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:35 am IST)