Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઓછા જોખમવાળા દર્દીઓના સંપર્કમાં આવતા લોકોએ પરીક્ષણ કરવાની જરૂર નથીઃ ICMR

સરકારે કહ્યું કે અહીં વધુ જોખમ એટલે વ્યકિતની વદ્યુ ઉંમર અથવા કોઈ મોટા રોગનો ભોગ બનેલા વ્યકિતથી છે

નવી દિલ્હી,તા.૧૧:દેશમાં કોરોના ઇન્ફેકશનના કિસ્સાઓ બેકાબૂ ગતિએ વધી રહ્યા છે. દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના ટેસ્ટિંગ અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા પછી કોઈ પણ વ્યકિતએ કોવિડ પરીક્ષણ કરાવવું આવશ્યક નથી જયાં સુધી તેની ઓળખ ઉચ્ચ જોખમ ધરાવતી વ્યકિત તરીકે ન થાય.

કેન્દ્ર સરકારે કહ્યું કે અહીં વધુ જોખમ એટલે વ્યકિતની વદ્યુ ઉંમર અથવા કોઈ મોટા રોગનો ભોગ બનેલા વ્યકિતથી છે. આઇસીએમઆરએ ગઇ કાલે કોવિડ પરીક્ષણ પર નવી સલાહ જારી કરી હતી.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કોરોનાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સમયે સમયે કોરોના સંક્રમણને રોકવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી રહી છે. આઇસીએમઆરએ કોવિડ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકો માટે માર્ગદર્શિકા જારી કરી છે.

આઇસીએમઆરએ જણાવ્યું હતું કે સંક્રમણથી અસરગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવતા તમામ લોકોને ગભરાટમાં કોરોના પરીક્ષણની જરૂર નથી. આઇસીએમઆરએ જણાવ્યું હતું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા એ જ લોકોને કોવિડ ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપી છે જે કયાં તો વૃદ્ઘ હોય અથવા ગંભીર રીતે બીમાર હોય.

આઇસીએમઆરએ જણાવ્યું હતું કે જે લોકોને હોમ આઇસોલેશન નિયમોના આધારે રજા આપવામાં આવી છે અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નિયમોના આધારે કોવિડ સેન્ટરમાંથી રજા આપવામાં આવેલી વ્યકિતઓને કોવિડ પરીક્ષણની જરૂર નથી.

(9:56 am IST)