Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

હું ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનનું દુઃખ સમજી શકું છું

આર્યનખાનને લઈને શેખર સુમને કહ્યું : જ્યારે મારા દીકરાનું નિધન થયું હતું ત્યારે શાહરુખ ખાન મને મળવા આવ્યો અને મને ભેટી પડ્યો હતો : શેખર સુમન

મુંબઈ, તા.૧૦ : વિવાદિત ડ્રગ્સ કેસમાં ફસાયેલા દીકરા આર્યન ખાનના કારણે દુઃખી શાહરુખ ખાન અને ગૌરી ખાનને જોતાં એક્ટર શેખર સુમન પણ ખૂબ દુઃખી છે. શાહરુખ ખાનના સપોર્ટમાં શેખર સુમને ટ્વિટ કરતા લખ્યું કે 'હું શાહરુખ ખાનનું દુઃખ સમજી શકું છું. જ્યારે મારા ૧૧ વર્ષના દીકરાનું નિધન થયું હતું ત્યારે શાહરુખ ખાન મને મળવા આવ્યો હતો અને મને ભેટી પડ્યો હતો.' આમ, એક્ટર શેખર સુમને ટ્વિટ કરતા શાહરુખ ખાન અને ગૌરી ખાન માટેનો પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે.

એક્ટર શેખર સુમને ટ્વિટ કરતા લખ્યું કે મારું હાર્ટ શાહરુખ ખાન અને ગૌરી ખાનની સાથે છે. એક પિતા તરીકે હું બરાબર રીતે સમજી શકું છું કે શાહરુખ ખાન અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. કોઈપણ માતા-પિતા માટે આ પ્રકારના દુઃખ અને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું સરળ નથી હોતું.

એક્ટર શેખર સુમને આ સાથે જ ટ્વિટર પર એક જૂનો કિસ્સો પણ શેર કર્યો છે. જેમાં શેખર સુમને પોતાના દીકરાને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે. એક્ટર શેખર સુમને જણાવ્યું કે 'આ વાત ત્યારની છે કે જ્યારે મારા ૧૧ વર્ષના દીકરાનું મોત થયું હતું. તેમણે ટ્વિટર પર આ ઘટનાને યાદ કરતા શાહરુખ ખાનનો આભાર વ્યક્ત કર્યો અને તે માટે સંવેદના વ્યક્ત કરી છે.'

એક્ટર શેખર સુમને લખ્યું કે 'જ્યારે મેં મારા ૧૧ વર્ષના દીકરા આયુષને ગુમાવ્યો હતો ત્યારે શાહરુખ ખાન એકમાત્ર એવો એક્ટર હતો જે મને પર્સનલી મળવા માટે આવ્યો હતો. ત્યારે હું ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યો હતો.

શાહરુખ ખાન સેટ પર આવ્યો અને મને ભેટી પડીને સંવેદના વ્યક્ત કરી હતી. અત્યારે શાહરુખ ખાન એક પિતા તરીકે કેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે તે વિચારતા જ મને ખૂબ તકલીફ થાય છે.

(12:00 am IST)