Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઘરમાં પૈસા નહોતા તો પછી તાળું શા માટે માર્યું હતું ? : ચોરી કરવા ગયેલા ચોરને ઘરમાંથી કઈ ન મળતા ચિઠ્ઠી મુકતો ગયો : મધ્ય પ્રદેશના સરકારી અધિકારીના ઘરમાંથી ખાલી હાથે ગયેલો ચોર નારાજ

કોટવાલી : કોટવાલી ડિસ્ટ્રિક્ટના ખાતેગાંઉમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે હાજર થયેલા ત્રિલોચન સિંહ ગૌરના ઘરમાંથી 20 હજાર રૂપિયા રોકડા અને જવેલરીની ચોરી થયાની ફરિયાદ અંગે કોટવાલ પોલીસે જણાવ્યું હતું કે ચોર બંધ મકાનમાં હાથફેરો કરી ગયા પછી એક ચિઠ્ઠી પણ મુકતો ગયો છે.જેમાં લખ્યું છે કે ઘરમાં પૈસા નહોતા તો પછી તાળું શા માટે માર્યું હતું ?

નવાઈની વાત એ છે કે ચોરે ચિઠ્ઠી લખવા મેજિસ્ટ્રેટના લેટરપેડ અને બોલપેનનો ઉપયોગ કર્યો હતો.અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ તપાસ ચાલુ છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:17 pm IST)