Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જસ્ટીસ રમણે વેંકટેશ્વર મંદિરમાં દર્શન કર્યા : પૂજા-અર્ચના કરી

દેશના આગલા મુખ્ય ન્યાયાધીશ

તિરૂપતિ, તા. ૧ર :  ભારતના આગલા સી.જે.આઇ. જસ્ટીસ એન.વી. રમણે તિરૂમાલા સ્થિત પ્રાચીન વંેકટેશ્વર મંદિરમાં ગઇકાલે પૂજા-અર્ચના કરેલ. તેઓ ર૪ મીએ પદભાર ગ્રહણ કરનાર છે. તેઓ દેશના ૪૮માં મુખ્ય ન્યાયાધીશ બનશે.

મંદિરના અધિકારીઓએ જણાવેલ કે ન્યાયમૂર્તિ રમણ રવિવારે સવારે મંદિર પહોંચેલ અને લગભગ ૧ કલાક રોકાયા હતા. તેઓ ભગવાન વેંકટેશ્વરના અનન્ય ભકત છે. તેઓ પત્ની શિવમાલા સાથે શનિવારે રાત્રે જ અહીં આવેલ.

પુજા-અર્ચના બાદ જસ્ટીસ રમણને તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમાં બોર્ડનાં અધ્યક્ષ સુબ્બા રેડ્ડી અને કાર્યકારી અધિકારી જવાહર રેડ્ડીએ રેશમનાં વસ્ત્રો, ભગવાન વેંકટેશ્વરજીનું ચિત્ર અને પ્રસાદ ભેટ આપેલ.

(3:12 pm IST)