Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શું રાજકીય પાર્ટી સાથે જોડાવું અપરાધ છે ? : કોંગ્રેસની પૂર્વ સાંસદ ઇશરત જ્હાએ જામીન માંગ્યાં : ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા તોફાનો મામલે UAPA એક્ટ હેઠળ ધરપકડ થઇ હતી

ન્યુદિલ્હી : ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા તોફાનો મામલે UAPA એક્ટ  હેઠળ ધરપકડ કરાયેલી કોંગ્રેસની પૂર્વ સાંસદ ઇશરત જ્હાએ જામીન માંગ્યાં છે.તેણે નામદાર  કોર્ટ સમક્ષ રજુઆત કરતા જણાવ્યું છે કે શું રાજકીય પાર્ટી સાથે જોડાવું અપરાધ છે ?

ઇસરાતના  વકીલે જણાવ્યું  હતું કે પોતાના અસીલ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. ઇલ્લીગલ એક્ટિવિટીઝ  પ્રોટેક્શન એક્ટ ( UAPA ) હેઠળ સરકારનો વિરોધ કરનારાઓનો અવાજ રૂંધવાની કોશિશ થઇ રહી છે. આ એક્ટની સમીક્ષા થવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં 2012 થી 2017 ની સાલ દરમિયાન દિલ્હીના સાંસદ રહી ચુક્યા છે.તેમજ કોંગ્રેસ પાર્ટીની નેશનલ કમિટીમાં પણ કામગીરી બજાવી ચુક્યા છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:26 pm IST)