Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

૨૦૦ વર્ષમાં અંગ્રેજોએ લગભગ ત્રણ હજાર લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટી હતી

પ્રખ્‍યાત અર્થશાષાી ઉત્‍સા પટનાયકે તેમના નિબંધોના સંગ્રહમાં લૂંટની સંભવિત રકમ આપી

નવી દિલ્‍હી, તા.૧૨: ભારતના ૨૦૦ વર્ષના શાસન દરમિયાન અંગ્રેજોએ અત્‍યાચાર અને લૂંટ ચલાવી હતી. દેશમાંથી અબજો રૂપિયા લૂંટીને અંગ્રેજોએ તેમનો ઘણો વિકાસ કર્યો. ભારતને લૂંટવા માટે બ્રિટિશ સરકાર રોજ નવા નવા રસ્‍તા શોધતી હતી. આપણે એ પદ્ધતિઓ વિશે પણ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં જાણી લઈએ કે બે સદીના શાસન દરમિયાન અંગ્રેજોએ ભારતને કેટલું લૂંટયું?

વર્ષ ૨૦૧૮માં પ્રખ્‍યાત અર્થશાષાી ઉત્‍સા પટનાયકે લૂંટની સંભવિત રકમ જણાવી હતી. વસાહતી ભારત અને બ્રિટન વચ્‍ચેના નાણાકીય સંબંધો પર સંશોધન કરનાર પટનાયકે તેમના નિબંધોના સંગ્રહમાં જણાવ્‍યું છે કે ૧૭૬૫ થી ૧૯૩૮ સુધી અંગ્રેજોએ કુલ ૯.૨ ટ્રિલિયન પાઉન્‍ડની લૂંટ કરી હતી. આ રકમનું વર્તમાન મૂલ્‍ય ઼૪૫ ટ્રિલિયન છે. ભારતીય ચલણમાં સમજીએ તો અંગ્રેજોએ લગભગ ત્રણ હજાર લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટી હતી. આ રકમ યુનાઇટેડ કિંગડમની જીડીપી કરતા ૧૭ ગણી વધારે છે.

જેમ જેમ અંગ્રેજોની લૂંટ વધતી ગઈ તેમ તેમ ભારતીયોની માથાદીઠ આવકમાં સતત ઘટાડો થતો ગયો. કોલંબિયા યુનિવર્સિટી પ્રેસમાંથી પ્રકાશિત થયેલા તેમના નિબંધ સંગ્રહમાં, પટનાયક જણાવે છે કે ૧૯૦૦-૦૨ ની વચ્‍ચે, ભારતની માથાદીઠ આવક ૧૯૬.૧ રૂપિયા હતી, જે વર્ષ ૧૯૪૫-૪૬માં માત્ર ૨૦૧.૯ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. વસાહતી યુગમાં ભારતની મોટાભાગની વિદેશી હૂંડિયામણની કમાણી સીધી લંડનમાં જતી હતી - જેણે જાપાનની જેમ ૧૮૭૦ના દાયકામાં ભારતે કરેલા આધુનિકીકરણના માર્ગને અનુસર્યું ન હતું.

મશીનરી અને ટેક્રોલોજીની આયાત કરવાની દેશની ક્ષમતાને ગંભીર રૂપે નબળી પાડવામાં આવી હતી. ૧૯૧૧માં ભારતીયોનો આયુષ્‍ય દર ૨૨ વર્ષ હતો. બીજા વિશ્વયુદ્ધની પૂર્વ સંધ્‍યાએ ૧૯૦૦માં અનાજનો માથાદીઠ વાર્ષિક વપરાશ ૨૦૦ કિલોથી ઘટીને ૧૫૭ કિલો થઈ ગયો હતો અને ૧૯૪૬ સુધીમાં ઘટીને ૧૩૭ કિલો થઈ ગયો હતો.

અંગ્રેજોએ ભારતમાં પગ મૂકયો ત્‍યારથી જ ભારતને લૂંટવાની નવી રીતો શોધતા હતા. ૧૮૪૭માં, તેમણે ટેક્‍સ એન્‍ડ બાય સિસ્‍ટમ રજૂ કરી, જે મુજબ ભારત સાથે વેપાર કરનારાઓ માટે ખાસ કાઉન્‍સિલ બિલનો ઉપયોગ કરવો ફરજિયાત હતો. અંગ્રેજો ભારતીય માલ બ્રિટન લઈ જતા હતા અને અન્‍ય દેશોને મોંઘા ભાવે વેચતા હતા.

(10:28 am IST)