Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં સેનાના બે જવાનોનું મૃત્યુ : અન્ય બે ઘાયલ

આર્મીની સફારી ગાડીમાં અધિકારીઓ, બિકાનેરથી જોધપુર નજીક શ્રી ડુંગરગઢ તરફ જતા હતા ત્યારે ગાડી પલ્ટી ખાઈ ગઈ

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સેરૂણા થાના અંતર્ગત એક માર્ગ અકસ્માતમાં બે સૈન્ય અધિકારીઓનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લશ્કરી જવાનો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બનાવની તપાસ કરવામાં આવી રહી છે.

ડીફેન્સ ના પી.આર.ઓ. સોમ્બિત ઘોષે આ અંગે પૃષ્ટિ કરી છે સેરૂણા થાના અધિકારી અજય કુમારે કહ્યું કે, આજે સવારે લગભગ 6 વાગ્યે, આર્મીની સફારી ગાડી માં અધિકારીઓ, બિકાનેરથી જોધપુર નજીક શ્રી ડુંગરગઢ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર ગાડી બેકાબૂ બનીને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કર્નલ મનીષ સિંહ અને મેજર નીરજ શર્માનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લશ્કરી જવાનો ઘાયલ થયા છે. બંને ઇજાગ્રસ્તોને બિકાનેરના પ્રિન્સ બિજયસિંહ મેમોરિયલ હોસ્પિટલ (પીબીએમ) ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

(4:42 pm IST)