Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગુરુગ્રામમાં ડોકટરના આપઘાતનું ખુલ્યું રહસ્ય : પત્ની અને સાસરિયાના ત્રાસથી જીવ દીધો

આત્મહત્યાના 14 દિવસ બાદ ઘરની સફાઈ દરમિયાન ડોક્ટરની સુસાઈડ નોટ મળી

નવી દિલ્હી : દિલ્હીના ગુરુગ્રામમાં ઉલટી ગંગા જેવો કેસ સામે આવ્યો હતો. અહીં એક ડોક્ટરે પત્ની અને સાસરીયાઓના ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના 14 દિવસ બાદ ઘરની સફાઈ દરમિયાન ડોક્ટરની સુસાઈડ નોટ મળી હતી. ત્યારબાદ પિતાએ પુત્રના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 ગુરુગ્રામમાં એક ખાનગી હોસ્પિટલના એક ડોક્ટરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. બે સપ્તાહ બાદ ઘરમાંથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં આત્મહત્યા કરવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઘરમાં સફાઈ ચાલતી હતી ત્યારે સુસાઇડ નોટ મળી હતી. જેમાં ખુલાસો થયો હતો. કે ડોક્ટરે પોતાની પત્ની અને સાસરીના લોકોથી ત્રાસીને આત્મહત્યા કરી હતી. આરોપ છે કે પત્ની અને સાસરીના લોકોથી ત્રાસીને ડોક્ટરે સુસાઈડ કર્યું હતું.

ઝંઝરોલમાં રહેતા ઓમ સિંહે ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે તેનો પુત્ર રવિંદર ગુરુગ્રામના એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર હતો. ઓમ સિંહના જણાવ્યા પ્રમાણે પુત્રના લગ્ન અલવરમાં રહેનારી મનીષા સાથે વર્ષ 2015માં થયા હતા. માનસિક તણાવના પગલે રવિંદરે ઝેરી પદાર્થ ખાધો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

(12:56 am IST)