Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ધીમો પડ્યો : દેશમાં નવા 31,287 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 37.880 દર્દીઓ રિકવર થયા : વધુ 338 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.42.688 થયો :એક્ટીવ કેસ 3.80.458 થયા : કુલ કેસની સંખ્યા 3.32.32.168 થઇ

સૌથી વધુ કેરળમાં 20.487 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3075 કેસ,તામિલનાડુમાં 1639 કેસ, આંધ્રપ્રદેશમાં 1145 કેસ,કર્ણાટકમાં 801 કેસ,પશ્ચિમ બંગાળમાં 752 કેસ,મિઝોરમમાં 725 કેસ, ઓરિસ્સામાં 630 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા  31.287 કેસ નોંધાયા છે. જ્યારે 37.880 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 31.287 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 338 લોકોના  મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.42.688 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 31.287 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.32.32.168 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.80.458 થઇ છે છેલ્લા 24 કલાકમાં 37.880 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.23.96,131 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી કેરળમાં 20.487 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3075 કેસ,તામિલનાડુમાં 1639 કેસ, આંધ્રપ્રદેશમાં 1145 કેસ,કર્ણાટકમાં 801 કેસ,પશ્ચિમ બંગાળમાં 752 કેસ,મિઝોરમમાં 725 કેસ, ઓરિસ્સામાં 630 કેસ નોંધાયા છે

(1:15 am IST)