Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

આવતીકાલે ધારાસભ્યોની બેઠક પૂર્વે નિરીક્ષકો તરીકે નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીના નામોની જાહેરાત: રાજ્યપાલે વિજયભાઈ અને તેમના સમગ્ર પ્રધાનમંડળનું રાજીનામું સ્વીકારી લીધું: મોટાભાગના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોષી તથા નરેન્દ્રસિંહ તોમર ગાંધીનગર આવી રહ્યા છે. તેઓ આવતીકાલે બપોર પછી કમલમ ખાતે મળી રહેલ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની બેઠકમાં નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. દરમ્યાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના સમગ્ર પ્રધાનમંડળનું રાજીનામું સ્વીકારી લીધાની સત્તાવાર જાણ કરી છે અને નવા મુખ્યમંત્રીની શપથવિધિ સુધી મુખ્યમંત્રીપદે ચાલુ રહેવા જણાવ્યું છે. આ બધા વચ્ચે ભાજપના હાઈકમાન્ડે અમદાવાદ ગાંધીનગરના ધારાસભ્યોને હેડક્વાર્ટર નહીં છોડવા અને અન્યવતમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવામાં આદેશ આપતા લગભગ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી રહ્યા છે.

(12:00 am IST)