Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

કર્ણાટકના મંદિરમાં નારિયેળને એક વ્યક્તિએ 6.5 લાખમાં બોલી લગાવી તેને ખરીદી લીધુ

બગલકોટ જિલ્લાના જમખંડી નામના કસ્બા નજીક ચિક્કાલકી ગામમાં સ્થિત મંદિર

કર્ણાટકના એક મંદિરમાં એક વ્યક્તિને એક ભાગ્યશાળી નારિયેળ પર હાથ રાખવાનો અવસર મળ્યો તો તેણે 6.5 લાખમાં બોલી લગાવીને તેને ખરીદી લીધુ. આ મંદિર બગલકોટ જિલ્લાના જમખંડી નામના કસ્બા નજીક ચિક્કાલકી ગામમાં સ્થિત છે.

નારિયેળને ખરીદનાર શખ્સ વિજયપુરા જિલ્લાના ટિક્કોટા ગામના રહેવાસી એક ફળ વિક્રેતા છે. એક રિપોર્ટ અનુસાર આ મંદિરમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે નારિયેળની નીલામી કરવામાં આવે છે અને આ નિલામીમાં ભક્ત ભાગ લે છે. તે હરાજીમાંથી એક નારિયેળ ખરીદવામાં આવ્યુ છે.

આ નીલામીમાં કેટલાક ભક્તોએ બોલી લગાવી અને સૌથી વધારે બોલી લગાવનાર શખ્સે આને ખરીદીને સૌને મુશ્કેલીમાં મૂકી દીધા. અન્ય કોઈ પણ વ્યક્તિ ફળ વિક્રેતા મહાવીર હરકેની બોલી નજીક પહોંચી શક્યુ નહીં. ભગવાન મલિંગરાયને શિવના નંદીનુ એક રૂપ માનવામાં આવે છે અને તેમની પાસે રાખેલુ આ નારિયેળ તેમના ભક્તો માટે સૌથી વધારે માગનારૂ છે. આ નારિયેળને દિવ્ય માનવામાં આવે છે અને એવુ માનવામાં આવે છે કે જે પણ આને પ્રાપ્ત કરશે તેની માટે આ સૌભાગ્ય લાવે છે.

મંદિર વહીવટીતંત્ર ઘણા લાંબા સમયથી આવા જ નારિયેળની હરાજી કરી રહ્યુ છે પરંતુ બોલી ક્યારેય 10000 રૂપિયાની કિંમતને પણ પાર કરી શકી નથી. જોકે, આ વર્ષે વસ્તુ ઘણી બદલાઈ ગઈ છે. આ બોલી 1000 રૂપિયાથી શરૂ થઈ હતી અને તાત્કાલિક 1 લાખ રૂપિયાની કિંમતને પાર કરી ગઈ. જે બાદ એક ભક્તે 3 લાખ રૂપિયાની રજૂઆત કરી.

જોકે ખાસ નારિયેળ માટે આટલી કિંમત પહેલા ક્યારેય આપવામાં આવી નથી. મંદિર સમિતિના સદસ્ય લગભગ નિશ્ચિત હતા કે બોલી અહીં સમાપ્ત થઈ જશે, પરંતુ મહાવીરની યોજના અલગ હતી. તેમણે કિંમત બેગણી કરી દીધી અને નારિયેળ ખરીદવા માટે 6.5 લાખ રૂપિયાની બોલી લગાવાઈ. આટલી મોંઘી બોલી બાદ મંદિર વહીવટીતંત્રએ કહ્યુ કે નારિયેળની બોલીથી આવેલા રૂપિયાનો પ્રયોગ મંદિરના વિકાસ અને અન્ય ધાર્મિક કાર્યોમાં કરવામાં આવશે.

ReplyReply to allForward

(8:37 pm IST)