Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો :દેશમાં નવા 31,309 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 40.288 દર્દીઓ રિકવર થયા : વધુ 210 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.42.898 થયો :એક્ટીવ કેસ 3.71.271 થયા : કુલ કેસની સંખ્યા 3.32.63.779 થઇ

સૌથી વધુ કેરળમાં 20.240 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3623 કેસ,તામિલનાડુમાં 1608 કેસ, આંધ્રપ્રદેશમાં 1190 કેસ,મિઝોરમમાં 1089 કેસ,કર્ણાટકમાં 803 કેસ,પશ્ચિમ બંગાળમાં 751 કેસ, ઓરિસ્સામાં 649 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા  31.309 કેસ નોંધાયા છે. જ્યારે 40.288 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 31.309 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 20 લોકોના  મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.42.898 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 31.309 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.32.63.779 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.71.271 થઇ છે છેલ્લા 24 કલાકમાં 40.288 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.24.36.425 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 20.240 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3623 કેસ,તામિલનાડુમાં 1608 કેસ, આંધ્રપ્રદેશમાં 1190 કેસ,મિઝોરમમાં 1089 કેસ,કર્ણાટકમાં 803 કેસ,પશ્ચિમ બંગાળમાં 751 કેસ, ઓરિસ્સામાં 649 કેસ નોંધાયા છે

(12:03 am IST)