Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મુંબઈ હાઇકોર્ટે દિવાળી તહેવારો દરમિયાન બે જૈન મંદિરો 5 દિવસ માટે ખુલ્લા રાખવાની મંજૂરી આપી : 13 નવે.થી 17 નવે.દરમિયાન સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તથા સાંજે 6 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે : કોવિદ -19 ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

મુંબઈ : મુંબઈ હાઇકોર્ટે દિવાળી તહેવારો દરમિયાન બે જૈન મંદિરો 5 દિવસ માટે ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે.જે TAKL જ્ઞાન મંદિર ટ્રસ્ટ તથા MRC ટ્રસ્ટ સંચાલિત બે જૈન મંદિરોને  આપવામાં આવી છે.જેઓએ રાજ્ય સરકાર પાસે માંગેલી મંજુરીનો કોઈ જવાબ નહીં મળતા  મુંબઈ હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી હતી.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે આ આદેશ તમામ ધાર્મિક સ્થળોને લાગુ પડતો નથી. આ માટે મંજૂરી લેવી ફરજીયાત છે.  જૈન ટ્રસ્ટે કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હોવાથી મંજૂરી આપવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)