Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાનનું નિધન

અમેરિકામાં ચાલી રહી હતી સારવાર

મનામા,તા.૧૨: બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાનું ૮૪ વર્ષની વયે નિધન થયુ છે. તેમની સારવાર અમેરિકાના મેયો કલોનિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. હાલમાં બહરીનના પીએમ ઇઝરાયલની સાથે શાંતિ સમજુતી કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમના નિધન પર બહરીનના શાહી ઉચ્ચાધિકારીઓ શોક વ્યકત કર્યો છે.

બહરીનના શાસક શેખ હમદ બિન ઈસા અલ ખલીફાએ પીએમ ખલીફાના નિધન પર એક સપ્તાહ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન બહરીનમાં રાષ્ટ્રીય ધ્વજ અડધા ઝુકેલા રહેશે. કોરોના વાયરસને કારણે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સીમિત સંખ્યામાં લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.

ખલીફા બિન સલમાન અલ ખલીફા વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર પ્રધાનમંત્રીઓમાંથી એક હતા. તેમણે વર્ષ ૧૯૭૦થી દેશના પ્રધાનમંત્રીની ખુરશી સંભાળી હતી. ૨૦૧૧મા અરબ ક્રાંતિ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમને હટાવવા માટે ખુબ પ્રદર્શન થયા હતા.

પ્રિન્સ ખલીફાની તાકાત અને સંપત્ત્િ।ની ઝલક આ નાના દેશમાં ચારેતરફ જોવા મળે છે. દેશના શાસકની સાથે તેમનું ચિત્ર દ્યણા દાયકાઓ સુધી સરકારી દીવાલોની શોભા વધારતુ રહ્યું. ખલીફાનો એક ખાનગી દ્વીપ હતો જયાં તેઓ વિદેશી મહેમાનો સાથે મુલાકાત કરતા હતા.

પ્રિન્ટ, ખાડી દેશોમાં નેતૃત્વ કરવાની જૂની પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા હતા જેમાં સુન્ની અલ ખલીફા પરિવાર પ્રત્યે સમર્થન વ્યકત કરનારને પુરસ્કૃત કરવામાં આવતા હતા. પરંતુ તેમની કાર્યવાહીને ૨૦૧૧ના વિરોધ પ્રદર્શન દરમિયાન પડકાર મળ્યો હતો.

(10:36 am IST)