Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

એબીવીપીના રાષ્ટ્રીય સચિવ અનિકેત ઓવેલનું નદીમાં ડૂબવાથી કરૂણમોત

મહારાષ્ટ્રના ઘડગામ વિસ્તારમાં એક નદીમાં મિત્રો સાથે નદીમાં તરવા ગયા હતા : બે વર્ષ પહેલા જ રાષ્ટ્રીય સ્તર પર નિમણુક થઇ હતી

 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સચિવ અનિકેત ઓવલની મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં નદીમાં ડૂબવાથી મોત થયું હતું. તે મિત્રો સાથે એક નદીમાં તરવા ગયા હતા.

ABVP ના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ મિલિંદ મરાઠેએ જણાવ્યું કે, અનિકેત ઓવલ નંદુરબારના ઘડગામ વિસ્તારમાં એક નદીમાં મિત્રો સાથે તરવા ગયા હતા.

મિલિંદ મરાઠેએ કહ્યું કે, આ દરમિયાન તે પાણીના પ્રવાહમાં ફસાયા હતા અને બહાર આવી શક્યા ન હતા.

મહત્વનું છે કે, અનિકેતની બે વર્ષ પહેલા જ રાષ્ટ્રીય સ્તર પર નિમણુક કરવામાં આવી હતી. તે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં (જેએનયૂ) એબીવીપીના વિરોધ પ્રદર્શન દરમિયાન સક્રિય હતા.

(1:25 pm IST)