Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજસ્થાનના પ્રસિદ્ધ મૂર્તિકાર પદ્મશ્રી અર્જૂન પ્રજાપતિનું કોરોનાથી નિધન

મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને વિપક્ષ નેતા રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

જયપુર :કોરોના સંક્રમણને લીધે રાજસ્થાનના પ્રસિદ્ધ મૂર્તિકાર પદ્મશ્રી અર્જૂન પ્રજાપતિનું ગુરૂવારે નિધન થયું છે. અર્જૂન પ્રજાપતિના નિધન પર મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

જયપુરની ખાનગી હોસ્પિટલમાં 63 વર્ષની વયે પ્રસિદ્ધ મૂર્તિકાર અર્જૂન પ્રજાપતિએ અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રસિદ્ધ મૂર્તિકાર અર્જૂન પ્રજાપતિ છેલ્લા ઘણા મહિનાઓથી બિમાર હતા. પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં તેમણે કોરોનાને માત આપી હતી. જો કે, સંક્રમણથી તેમના શરીરમાં ઇન્ફેક્શન થયું જેના લીધે ગુરૂવારે તેમનું નિધન થયું હતું.

અર્જૂન પ્રજાપતિના નિધનની માહિતી તેમના પુત્ર રાજેન્દ્ર પ્રજાપતિએ આપી હતી. વધુમાં જણાવીએ તો મૂર્તિકાર અર્જૂન પ્રજાપતિનો જન્મ વર્ષ 1957 માં થયો હતો અને તેમણે પોતાની માટીના વાસાણોની કળા માટે એક આગવી ઓળખ બનાવી હતી. જેના લીધે તેમને વર્ષ 2010માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(6:19 pm IST)