Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૧૫ ફેબ્રુઆરી સુધીમાં ફાઇલ કરો રિટર્ન

સરકારે કર્યો ઇનકાર : આગળ નહીં વધે ITRની તારીખ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસએ આ માહિતી આપી છે. CBDTએ કહ્યું કે, ડ્યુ ડેટ્સ વધારવાના તમામ અહેવાલો રદ કરવામાં આવે છે : જે કરદાતાઓના બાકી રકમ ૧,૦૦,૦૦૦ કરતા વધુ નથી

નવી દિલ્હી,તા. ૧૩: જો તમે કોઈ નાની કંપની ચલાવો છો અથવા કોઈ ધંધો કરો છો પરંતુ આજ સુધી તમે તમારી ITR ફાઇલ કરી નથી, તો પછી આવકવેરા વિભાગના આ હુકમને સમજો. હકીકતમાં, સરકારે ઓડિટની જરૂરિયાતવાળા ખાતાઓ માટે Income Tax Return (ITR) ભરવાની છેલ્લી તારીખ વધારવાની ના પાડી છે.

એટલે કે, જો કોઈ પેઢી અથવા વ્યવસાયના ખાતાનું ઓડિટ આવશ્યક છે અને તેણે રિટર્ન ફાઇલ કરી નથી, તો આવા કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાશે નહીં, તેઓએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી પોતાની ITR ફાઇલ કરવી પડશે. આવકવેરા વિભાગે ટ્વીટ દ્વારા આ સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત હાઇ કોર્ટે નાણાં મંત્રાલયને આ સમયમર્યાદામાં વધારો કરવા અંગે સ્પષ્ટ માહિતી આપવા આદેશ આપ્યો હતો. આ પછી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (CBDT)એ આ માહિતી આપી છે. CBDTએ કહ્યું કે, ડ્યૂ ડેટ્સ વધારવાના તમામ અહેવાલો રદ કરવામાં આવે છે. જે કરદાતાઓના બાકી રકમ ૧,૦૦,૦૦૦ કરતા વધુ નથી. તેના સેલ્ફ-અસેસમેન્ટ ટેકસની ચુકવણીની નિયત તારીખ પણ તે જ છે, જે આઈટીઆર (ITR) ફાઇલ કરવાની તારીખ છે.

આવકવેરા વિભાગે ૩૦ ડિસેમ્બર ૨૦૨૦થી વ્યકિતગત Income Tax Return (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦થી વધારી ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ કરી હતી, જે હવે પસાર થઈ ગઈ છે. જયારે ઓડિટના કેસો પરત કરવાની અંતિમ તારીખ ૧ જાન્યુઆરીથી વધારીને ૧૫ ફેબ્રુઆરી કરવામાં આવી છે. ત્યારે આ ત્રીજી વખત છે જયારે આવકવેરા વિભાગે અંતિમ તારીખ લંબાવી છે.

આવા કરદાતા જેમને આંતરરાષ્ટ્રીય/ વિશિષ્ટ ડોમેસ્ટિક ટ્રાન્જેકશનના કિસ્સામાં રિપોર્ટ આપવાની હોય છે. (જેના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી ડ્યૂ ડેટ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ હતી), આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી લંબાવી હતી.

(10:05 am IST)