Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુનંદા પુષ્કર મૃત્યુ કેસ: કોંગી સાંસદ શશી થરૂર વિરુદ્ધના આરોપો માટે 29 એપ્રિલની મુદત નક્કી કરાઈ

ન્યુદિલ્હી : દિલ્હીની કોર્ટે સોમવારે સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં કોંગ્રેસના સાંસદ ડો.શશી થરૂર વિરુદ્ધ આરોપો ઘડવાના આદેશો અનામત રાખ્યા છે. તથા તે માટે 29 એપ્રિલની મુદત નક્કી કરાઈ છે.

વિશેષ ન્યાયાધીશ ગીતાંજલી ગોયલે સુનાવણી પછી 29 એપ્રિલના ઓર્ડર અનામત  રાખ્યા છે.

સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ દ્વારા  બે સુસંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, કે

આલ્કોઝોલમની આલ્કોહોલ સાથેની  અસર અને બીજા, અલ્પ્રઝોલામનો કેટલો જથ્થો માનવ મૃત્યુનું કારણ બને છે.જેના અનુસંધાને અતુલ શ્રીવાસ્તવે કોર્ટને જવાબ આપ્યો હતો કે આવી અસર વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ પર તેના વપરાશના સમય ઉપર  નિર્ભર છે.

આગામી મુદત 29 એપ્રિલ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે  છે.

(12:00 am IST)