Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

હવે કોરોના થશે તે પહેલા ખબર પડી જશે !

અમેરિકાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વિશિષ્ટ ચિપ

નવી દિલ્હી તા. ૧૩ : કોરોનાનાં વધતા જતા કહેરની વચ્ચે, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ એક માઇક્રોચીપ બનાવી છે, જે સંકેતોની શરૂઆત થાય તે પહેલા જ સંક્રમણની પોલ ખોલી દેશે. આટલું જ નહીં, ચીપમાં લાગેલા માઇક્રો-ફિલ્ટર ડાયાલિસિસ મશીન દ્વારા વાયરસનાં અપૂર્ણાંકને ફિલ્ટર કરી નાશ કરશે.

પેન્ટાગોનનાં વૈજ્ઞાનિકોએ એક માઇક્રોચિપ બનાવી છે જે કોરોનાવાયરસનાં લક્ષણ દેખાય તે પહેલા જ તેને શોધી કાઠે છે.કહેવાનો અર્થ એ છે કે આ ચીપ સંબંધિત વ્યકિતને અગાઉથી ચેતવણી આપશે કે કોરોના સંક્રમણ લાગી શકે છે. આ ચીપ ચામડીની અંદર ફીટ કરવામાં આવશે, તે પછી તે વાયરસને શોધી કાઠવામાં અને કોરોના ચેપને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ માઇક્રોચીપ કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપને નિયંત્રિત કરી શકે છે.

કોરોનાનાં સૌથી સામાન્ય લક્ષણો એ છે કે ઉધરસ, તાવ અને સ્વાદ અને ગંધનું અદ્રશ્ય થઇ જવુ, પરંતુ આ ઉપરાંત, માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો પણ કોરોના હોઈ શકે છે. ઘણા લોકોમાં, કોઈ લક્ષણ દેખાતા નથી છતા તે શખ્સમાં કોરોના થયેલો હોય તેવુ સામે આવે છે. એક રિપોર્ટ મુજબ, અમરિકાની સંરક્ષણ અદ્યતન સંશોધન પ્રોજેકટ્સ એજન્સી (ડીએઆરપીએ) એ દાવો કરે છે કે આ ડિવાઇસ લોકોને અજાણતાં વાયરસ ફેલાવવાથી રોકી શકે છે. યુએસ આર્મીનાં સંક્રમણ રોગનાં ડોકટર મૈટ હેપબર્ને જણાવ્યું હતું કે, આ ડિવાઇસ ટિશ્યૂ જેવી જૈલ છે, જે શરીરમાં ફીટ થયા પછી તમારા લોહીને સતત ટેસેટ કરતુ રહેશે.

મેટ હેપબર્ને જણાવ્યું હતું કે, ચીપ સંબંધિત શખ્સને એલર્ટ કરશે કે તેના શરીરની અંદર રાસાયણિક પ્રતિક્રિયાઓ ચાલી રહી છે અવે કાસ સુધી તેમા કોરોનાનાં લક્ષણ નજર આવવા લાગશે. આવી સ્થિતિમાં, વ્યકિતને કોરોનામાંથી બચવા માટે પૂરતો સમય મળશે. તેમણે કહ્યું કે, વિશ્વમાં આ પહેલું ડિવાઇસ હશે, જે કોરોના બનતા પહેલા તેને શોધી કાઠશે. હાલમાં, લોકડાઉન અથવા નાઇટ કફર્યુ જેવા પગલા કોરોના વાયરસને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ માઇક્રોચીપ સૌથી અસરકારક સાબિત થશે.

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂકયો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે,ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે,બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે,કોરોનાથી ડરવાની નહીં,પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો,કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય,ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ.

(3:43 pm IST)