Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

પૂર્વ દિલ્હીમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા બાવન ઝુંપડા સંપૂર્ણ બળી ગયા

દિલ્હી ફાયર બ્રિગેડે રાત્રે ૧ર કલાકે લાગેલી આગને સતત ચાર કલાક પાણીનો મારો ચલાવી વહેલી સવારે ૩-૦૦ વાગ્યે આગ પર કાબુ મેળવ્યો : કોઇ જાનહાની થયાનું બહાર આવેલ નથી

નવી દિલ્હી: શનિવારે મોડી રાત્રે દક્ષિણ પૂર્વ દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં એક ઝૂપડપટ્ટીમાં આગ લાગી ગઈ તે પછી ઓછામાં ઓછી 52 ઝૂપડાઓ બળીને ખાખ થઈ ગયા. આ વિસ્તાર કાલિંન્દી કુંજ મેટ્રો સ્ટેશન નજીક છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, વરિષ્ઠ ફાયર બ્રિગેડે કહ્યું કે ફાયર વિભાગને શનિવારે રાત્રે લગભગ 11.55 વાગ્યે ઘટનાની જાણ મળી.

અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જ ઘાયલ થવાના સમાચાર નથી. અધિકારીઓ અનુસાર સવારે ત્રણ વાગે કંટ્રોલ કરી લીધો છે.

રાજકીય વિશ્લેષક તેહસીન પૂનાવાલાએ મોડી રાત્રે ટ્વિટ કરીને આ ઘટના વિશે માહિતી આપી હતી.

(12:02 pm IST)