Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અલાહાબાદ હાઈકોર્ટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીનો ટ્રાન્સફર ઓર્ડર રદ કર્યો : પત્ની 100% વિકલાંગ હોવાથી પતિ તેનો કેર ટેકર ગણાય : બેંકની ટ્રાન્સફર નીતિ મુજબ નિયમિત/રોટેશનલ ટ્રાન્સફરમાંથી મુક્તિ આપી

અલ્હાબાદ : અલ્હાબાદ  હાઈકોર્ટે તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીની એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાના આદેશને રદ કર્યો હતો કારણ કે તેણે નોંધ્યું હતું કે તેની પત્ની 100% વિકલાંગતા સાથે કાયમી ધોરણે અક્ષમ છે. ન્યાયાધીશ રાજેશ સિંહ ચૌહાણની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે પતિ (કર્મચારી) તેની પત્નીના કેરટેકર છે [વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016ની કલમ 2(ડી) હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ], તેથી, બેંકની ટ્રાન્સફર નીતિ મુજબ નિયમિત/રોટેશનલ ટ્રાન્સફરમાંથી મુક્તિ મળશે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)