Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમિતભાઇ અને ધર્મેન્દ્ર પ્રધાન પછી

મોદી પ્રધાન મંડળના વધુ એક સભ્યને કોરોના પોઝીટીવ વળગ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. નાઇક કોવિડ-૧૯થી સંક્રમિત થયા હોય તેવા મોદી સરકારના ત્રીજા મંત્રી છે. આ પહેલા ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને નેતા હોસ્પિટલમાં જ દાખલ છે.

 નાઇકે ટ્વિટ કરીને કહ્યું, મેં આજે કોવિડ-૧૯ પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ તકલીફ નથી અને આ માટે હોમ આઈસોલેશમાં રહેવાનો ફેંસલો કર્યો છે. તેમણે આગળ લખ્યું, જે લોકો છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવવાની અને જરૂરી સાવધાની રાખવાની સલાહ છે.

(1:01 pm IST)