Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

બેરોજગારોને છ મહિનાનું ભથ્થું આપવા શ્રમ ખાતાની વિચારણા

છેલ્લા પગારના ૨૫ ટકા રકમ બરાબર ભથ્થું અપાશે : જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ESICના ૩.૨ કરોડ સબસ્ક્રાઈબર્સને લાભઃ ESIC બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાશે

નવી દિલ્હી, તા. ૧૩  : કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરના બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. તેના નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી સાથે સંલગ્ન કર્મચારીઓને બેકાર થવાની સ્થિતિમાં૬ મહિના સુધી ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું છેલ્લા પગારના ૫૦ ટકાની બરાબર હશે. હાલ આ રકમ છેલ્લા પગારના ૨૫ ટકાની બરાબર છે. આ ઉપરાંત ભથ્થાની સમય મર્યાદા પણ ત્રણ મહિનાની જ છે. એટલું જ નહીં, આ સ્કીમનો લાભ એક વખત જ લઈ શકાય છે જો કે હવે આ મર્યાદાનેપણ સમાપ્ત કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, ૨૦ ઓગસ્ટના રોજ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ના સભ્યોની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ઈએસઆઈસીના ૩.૨ કરોડ સબસ્ક્રાઈબર્સને ફાયદો મળશે. પીએમઓ દ્વારા આપ્રસ્વાને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોનેનોકરી ગુમાવવી પડી છેજેને કારણે સરકાર આ સ્કીમમાં કેટલીક છૂટછાટ આપવા માગે છે જેથી વધારે લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે. એક અધિકારીએ જણાવ્યું હતું કે,ગયા અઠવાડિયે આ પ્રસ્તાવને પીએમઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હવે આને ઈએસઆઈસીની બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે.

(10:06 pm IST)