Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શ્રીનગરમાં આતંકીઓએ સેના પર ગ્રેનેડ ફેંક્યો: બે ઘાયલ: સર્ચ ઓપરેશન ચાલુ

અલી જાન રોડ, ઇદગાહ પર સુરક્ષા દળો તરફ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો

સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ ફરી એકવાર વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે શ્રીનગરની એક ઈદગાહમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી વિસ્ફોટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સાથે હુમલાખોરોએ પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે 15 ઓગસ્ટ પહેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં હુમલા કર્યા હોય અને દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કર્યો હોય.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. એજન્સીએ શ્રીનગર પોલીસને ટાંકીને કહ્યું, “આ હુમલો આતંકવાદીઓ દ્વારા અલી જાન રોડ, ઇદગાહ પર સુરક્ષા દળો તરફ ફેંકવામાં આવેલ ગ્રેનેડ હતો. જેમાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા થઈ છે. ગુનેગારોને પકડવા માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.”

(8:15 pm IST)