Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે ?

એમ્સના ડાયરેકટરનું મોટુ નિવેદન : કોરોના વાયરસના વધતા પ્રકોપ બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઇશું કે જ્યારે હાર્ડ ઇમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે

નવી દિલ્હી તા. ૧૩ : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ   AIIMSના ડાઈરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જયારે હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.એમ્સના ડાઈરેકટર રણદીપ ગુલેરિયાએ IANSને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ ફેરફાર નહીં આવે તો લોકો કદાચ રસી મૂકાવવા અંગે ફરીથી ન પણ વિચારે અને આ કારણે રસીની જરૂરિયાત ઓછી રહી શકે છે.

બજાર અને રસ્તાઓ પર સતત ભીડ વધી રહી છે. લોકો હવે આ વાયરસ સંક્રમણને શરદી, ઉધરસ જેવી નાની મોટી બીમારી સમજી રહ્યા છે. લોકોની બેદરકારીની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસરના સવાલ પર ડોકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તેના બે પહેલુ છે. એક તો એ કે રસી જલદી આવી જાય. જો આવી પણ ગઈ તો સૌથી પહેલા વધુ જોખમવાળા સમૂહને તે આપવામાં આવશે. એવા લોકો કે જેમનામાં ઈન્ફેકશનના ચાન્સ વધુ છે. તેનાથી આપણને મહામારીને કાબૂમાં લેવામાં મદદ મળશે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે.

બીજુ એ કે આ દરમિયાન એક સમય એવો પણ આવશે કે જયારે આપણે હર્ડ ઈમ્યુનિટી મેળવી લઈશું, અને લોકો પણ મહેસૂસ કરશે કે તેમનામાં ઈમ્યુનિટી આવી ગઈ છે. આવી સ્થિતિમાં રસીની જરૂર નહીં પડે. જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ પરિવર્તન નહીં આવે તો રસીની જરૂર પડશે કારણ કે ફરીથી સંક્રમણનું જોખમ રહેશે.

એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે વાયરસમાં કેવી રીતે પરિવર્તન આવે છે અને લોકોને ફરીથી સંક્રમિત કરી શકે છે કે નહીં. હજુ તપાસ ચાલુ છે કે આવનારા કેટલાક મહિનાઓમાં વાયરસ કેવો વ્યવહાર કરશે અને તે જ આધારે કોઈ નિર્ણય લઈ શકાય છે કે કેટલી જલદી કોરોનાની રસી લગાવવાની જરૂર પડશે. જો સારી હર્ડ ઈમ્યુનિટી વિકસી જાય તો આ એક પડકાર હશે કારણ કે રસી બનાવવામાં ઘણો ખર્ચ થયો છે અને રસી નિર્માતાઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે કયાંક કોરોનાની રસીની માગણી ઓછી ન થઈ જાય.

અગાઉ વાયરસ સંક્રમણ મોટાભાગે ઈન્ફલૂએન્ઝા જેવા વાયરસના કારણે થતું હતું. આ કોરોનાવાયરસ ફેમિલામાં લગભગ સાત અન્ય વાયરસ છે. જેમાંથી ચારના ફલૂ જેવા લક્ષણ હોય છે. જે ખુબ હળવા હોય છે. બાકીના ૩માંથી એક સાર્સ વાયરસ (SARS-CoV) છે, જે કંટ્રોલ કરી લેવાયો હતો. એક મર્સ વાયરસ છે જે એટલો બધો ચેપી નથી.

આટલા મોટા પાયે કોરોના વાયરસ દુનિયાની પહેલી એવી મોટી મહામારી છે. ગત મહામારી ઈન્ફલૂએન્ઝા વાયરસના કારણે થઈ હતી. કોરોનાવાયરસ એક નવો વાયરસ છે જે શ્વસનતંત્રને સંક્રમિત કરે છે અને ત્યારબાદ તેના અનેક પ્રભાવ થાય છે.

આ વાયરસ રિસેપ્ટર્સ સાથે જોડાય છે જે શરીરમાં અનેક અંગોમાં હાજર હોય છે. તે બ્લડ વેસલ્સમાં સોજા પેદા કરે છે અને જો આ બ્લડ વેસલ્સ હ્રદયમાં છે તો તેનાથી હ્રદયની માંસપેશીઓને માયોકાર્ડિયલ ડેમેજ થઈ શકે છે. જેનાથી સ્ટ્રોક આવવાની શકયતા વધુ રહે છે અને સ્ટ્રોક આવી પણ શકે છે.

જો કે કોવિડથી સાજા થયા બાદ ગંભીર સમસ્યા થવાની આશંકા નથી, કારણ કે મોટાભાગના વાયરલ સંક્રમણ ઠીક થઈ જાય છે અને લોકોમાં થોડા દિવસ માટે પ્રભાવ રહે છે પરંતુ પછી તેઓ સાજા થઈ જાય છે.

સરકાર મોટા પાયે કોવિડ-૧૯ કિલનિક વિકિસત કરવા પર આક્રમક રીતે કામ કરી રહી છે. તે જિલ્લા સ્તરે અને મેડિકલ કોલેજોમાં થઈ શકે છે. જયાં લોકોને પૂરી સહાયતા આપવામાં આવે છે. તેમાંથી અનેકને ધ્યાન, યોગ કરવાની સલાહ અપાય છે. આથી આ એક વ્યાપક યોજના છે. જેમાં એલોપેથિક, યોગ અને આયુર્વેદિક દવાઓથી સારવાર થાય છે.

(3:25 pm IST)