Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળીઃ ૮ નકસલીઓ ઠાર મરાયા

કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં બની ઘટના

ગઢચિરોલી પોલીસના સી-૬૦ કમાન્ડોએ આજે બપોરે  કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈ નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરમાં ૧૨ માઓવાદીઓ ઘાયલ થયા છે. એસપી અંકિત ગોયેલે જણાવ્યું કે સવારે ૬.૩૦ વાગ્યે પોલીસ અને માઓવાદી વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. એન્કાઉન્ટર બાદ જ મોતનો સાચો આંકડો બહાર આવી શકે છે હાલમાં આઠના મોતની શક્યતા છે.

(4:35 pm IST)