Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ

ન્યુદિલ્હી : ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશનઃ દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ સરકાર વિરુદ્ધ  પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ અરજદારોએ કહ્યું છે  કે સીટીઝન એક્ટની   કલમ 7D ડી કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવા પર અથવા ભારતના બંધારણમાં અસલામ બતાવવા બદલ ઓસીઆઈની નોંધણી રદ કરવાની  કેન્દ્રને મંજૂરી આપે છે.

ઓસીઆઈ એ એવી વ્યક્તિઓ છે કે જેમની પાસે વિદેશી દેશનો પાસપોર્ટ હોય છે, પરંતુ જન્મથી  અથવા માતાપિતાના જીન્સથી  ભારત સાથે તેના જોડાણો છે. તેમની પાસે ભારતીય નાગરિકત્વ અથવા ભારતીય પાસપોર્ટ નથી.

સીટીઝન એક્ટની  કલમ 7D ડી (બી) સરકારને કોઈ વ્યક્તિની ઓસીઆઈ નોંધણી રદ કરવાની મંજૂરી આપે છે જો તેઓ ભારતના બંધારણમાં અસહિષ્ણુતા બતાવે છે અને કલમ D ડી (બી ) કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઓસીઆઇ નોંધણી રદ કરવાની મંજૂરી આપે છે. કલમ 7D ડી અંતર્ગતની  આ બંને જોગવાઈઓ મનસ્વી છે અને ઓસીઆઈની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કઠોર  અસર કરે છે .

ઉપરાંત તેમને દેશમાં સંશોધન અને પત્રકારત્વના કાર્ય સહિતના કેટલાક વ્યવસાયોમાં જોડાવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.ભારતમાં ઘણા OCIs રહે છે અને વેરો ચૂકવે છે . તેવી રજુઆત કરી હોવાનું  ધ.ડબલ્યુ.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)