Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કોરોનાની બીજી લહેર નબળી પડવાના સંકેત

દેશના ૩૩૮ જીલ્લાઓમાં ઘટી રહયા છે નવા કેસ

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર લગભગ નબળી પડતી જાય છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ કે દેશના ૩૩૮ જીલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નવા કેસ અને સંક્રમણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે.

આરોગ્ય મંત્રાલયમાં સંયુકત સચીવ લવ અગ્રવાલ અનુસાર એવા જીલ્લાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહયો છે. જયાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા દર સપ્તાહે વધારો થવા છતાં સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો હોય. આવા જીલ્લાઓની સંખ્યા ૨૨-૨૮ એપ્રિલમાં ૧૨૫ હતી જે ૬ થી ૧૨મે વચ્ચે વધીને ૩૩૮ થઇ ગઇ હતી. તેમણે એમ પણ કહ્યું કે ૧૦ રાજયોમાં સંક્રમણ દર ૨૫ ટકા અથવા તેનાથી વધારે છે.

(12:57 pm IST)