Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીનનું ફાયરિંગ: 8 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ

પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજો લીધો

પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમા નજીક ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું. અને બોટનું અપહરણ કર્યુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાન મરીન બોટ સાથે માછીમારોને પોતાની સાથે લઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે સુરક્ષા એજન્સી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજો લીધો હતો. જહાજમાં સવાર આઠ ક્રૂ પણ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં આ સમાચારની વિગતોની રાહ જોવાઈ રહી છે.

(8:01 pm IST)