Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત : ટ્વિટ કરીને આપી જાણકારી

કોરોના સંક્રમિત હોવાને કારણે 17 મેથી શરૂ થતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં.

મુંબઈ : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઈ ગયો છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે.

 અત્રે  ઉલ્લેખનીય છે કેઆ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને સન્માનિત દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેથી અભિનેતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે ભારતીય પ્રતિનિધિમંડળ તરીકે કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. હાલમાં, કોરોના સંક્રમિત હોવાને કારણે, અભિનેતા 17 મેથી શરૂ થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં.

   ટ્વીટ દ્વારા પોતાના કોરોના સંક્રમણ વિશે માહિતી આપતા અક્ષય કુમારે લખ્યું, “ખરેખર હું કાન 2022ના ઈન્ડિયા પેવેલિયનમાં અમારા સિનેમાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ દુઃખની વાત છે કે મારો કોવિડ ટેસ્ટ થયો જે પોઝિટિવ આવ્યો.. તમને અને તમારી સમગ્ર ટીમ માટે શુભેચ્છાઓ. ટીમ અક્ષય કુમારે પોતાના ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને પણ ટેગ કર્યા છે

(11:13 pm IST)