Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગઠબંધનમાં શિવસેના સાથે ભાજપે ગુલામો જેવું વર્તન કર્યું : પાર્ટીનો સફાયો કરવાની કોશિશ કરી : સંજય રાઉત

રાઉતે એમ પણ કહ્યું કે, રાજનીતિમાં કંઈપણ થઈ શકે છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે બીજેપીએ 2014થી 2019 વચ્ચે ગઠબંધનમાં રહેતા તેમની પાર્ટીનો સફાયો કરવાની કોશિશ કરી હતી.

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી જ રાઉતે આ ટિપ્પણી કરી છે.

જલગાંવમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં રાઉતે કહ્યું કે, ગઠબંધનમાં શિવસેના સાથે બીજેપીએ ગુલામો જેવું વર્તન કર્યું.

રાઉતે કહ્યું, બીજેપીને અમારા સહયોગીથી સત્તા મળી હતી તેનો જ ઉપયોગ કરીને અમારી પાર્ટીનો સફાયો કરવાની કોશિશ કરવામાં આવી.

મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યા પછી વર્ષ 2019માં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહાવિકાસ અઘાડીની સરકાર બનાવી હતી.

રાઉતે એમ પણ કહ્યું કે, રાજનીતિમાં કંઈપણ થઈ શકે છે.તેમને કહ્યું, મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવાર હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ખંભાથી ખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.

(12:00 am IST)