Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજ્યપાલ મંગુભાઇ પટેલની મહત્વની કામગીરી સંભાળી

મધ્યપ્રદેશ રાજભવનના ઓ.એસ.ડી. તરીકે ડો. દક્ષેશ ઠાકરની નિમણૂક

રાજકોટ,તા. ૧૪ : મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના પૂર્વ વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલની નિમણુક થતા ત્યાંના રાજભવનમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે સુરત સ્થિત શિક્ષણ ક્ષેત્રના જાણીતા અગ્રણી ડો. દક્ષેશ ઠાકરની નિમણૂક થઇ છે. તેમણે રાજભવન (ભોપાલ)માં કાર્યભાર સંભાળી લીધો છે. (મો. ૭૦૧૬૨ ૮૪૪૦૦).

તા. ૧ એપ્રિલ ૧૯૬૫ના રોજ જન્મેલા શ્રી દક્ષેશ આર. ઠાકર એમ.એ. પીએચ.ડીની પદવી ધરાવે છે. કે.સી.શેઠ આર્ટસ કોલેજ, બીરપુર બાલાસિનોર સહિતની સંસ્થાઓમાં વ્યાખ્યાતા તરીકેનો અનુભવ ધરાવે છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલનાયક અને ઉપકુલપતિ તરીકે સેવા આપી હતી. ડોકટરેટની પદવી માટેના ગાઇડ છે. તેમને વિવિધ નામાંકીત સંસ્થાઓ તરફથી ગૌરવપૂર્ણ એવોર્ડ મળેલ છે. અનેક વર્કશોપ-પરિસંવાદ કરેલ છે. શ્રેષ્ઠ લેખક પણ છે. તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:13 am IST)