Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કેરળમાં કોરોના કેસમાં મોટો ઘટાડો : દેશમાં નવા 24.410 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 39.811 દર્દીઓ રિકવર થયા : વધુ 340 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.43.247 થયો :એક્ટીવ કેસ 3.55.226 થયા : કુલ કેસની સંખ્યા 3.32.88.021 થઇ

સૌથી વધુ કેરળમાં 15.058 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2740 કેસ,તામિલનાડુમાં 1580 કેસ, આંધ્રપ્રદેશમાં 864 કેસ, કર્ણાટકમાં 673 કેસ,પશ્ચિમ બંગાળમાં 506 કેસ, આસામમાં 564 કેસ, મિઝોરમમાં 541 કેસ,ઓરિસ્સામાં 471 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા  24.410 કેસ નોંધાયા છે. જ્યારે 39.811 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 24.410 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 340 લોકોના  મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.43.247 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 24,410 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.32.88.021 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.55.226 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.811 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.24.376.647 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી કેરળમાં 15.058 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2740 કેસ,તામિલનાડુમાં 1580 કેસ, આંધ્રપ્રદેશમાં 864 કેસ, કર્ણાટકમાં 673 કેસ,પશ્ચિમ બંગાળમાં 506 કેસ, આસામમાં 564 કેસ, મિઝોરમમાં 541 કેસ,ઓરિસ્સામાં 471 કેસ નોંધાયા છે

(12:58 am IST)