Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કેરળમાં કોરોના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો : દેશમાં નવા 27.479 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 37,977 દર્દીઓ રિકવર થયા : વધુ 281 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.43.528 થયો :એક્ટીવ કેસ 3.44.442 થયા : કુલ કેસની સંખ્યા 3.33.15.504 થઇ

સૌથી વધુ કેરળમાં 15.876 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3530 કેસ, તામિલનાડુમાં 1591 કેસ, મિઝોરમમાં 1502 કેસ,આંધ્રપ્રદેશમાં 1125 કેસ, પશ્ચિમ બંગાળમાં 703 કેસ, કર્ણાટકમાં 559 કેસ, આસામમાં 493 કેસ,ઓરિસ્સામાં 428 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા  27.479 કેસ નોંધાયા છે. જ્યારે 37.977 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 27.479 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 281 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.43.528 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 27.479 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.33.15.504 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.44.442 થઇ છે છેલ્લા 24 કલાકમાં 37.977 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.25.14.628 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 15.876 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3530 કેસ, તામિલનાડુમાં 1591 કેસ, મિઝોરમમાં 1502 કેસ,આંધ્રપ્રદેશમાં 1125 કેસ, પશ્ચિમ બંગાળમાં 703 કેસ, કર્ણાટકમાં 559 કેસ, આસામમાં 493 કેસ,ઓરિસ્સામાં 428 કેસ નોંધાયા છે

(1:05 am IST)